Iklan Atas Artikel

શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ


                શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ


*જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.*


કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે.


*વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે*



*આજે મૂળ વાત કરવી છે  ખડીસાકરની,,,,!*


*શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે.  શરદપૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે*


 *ખડી સાકરની અંદર ચંદ્રની આવી નેચરલ અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ*


એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ "શતમ જીવ શરદ:" તેવું બોલીએ છીએ કે 100વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો


100% Chemical free  5 કિલો જેટલી Organic ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ , 9 મી ઓક્ટોબર,  2022 રવિવાર ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે*


 સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની


*જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે*


 આવા સમયે આ ખડીસાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડીસાકર લેવાય તો એ દવાની અસર કરતાં વધુ સારી થશે.


 *થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ*


આવી રહેલા નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુકતરી, બરફી કે મીઠાઈથી મીઠું કરાવવાને બદલે આવી ખડીસાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે આપ ઈચ્છો તો આવી સાકરનાં100 થી 200 ગ્રામનાં પેકેટ આપના સ્વજનોને ભેટમાં આપીને નિરોગી રાખવા પ્રયત્ન કરજો


*આપણુ લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે*


 આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે

જે આપણા શરીરને નિરોગી રાખવાનું અતિ મહત્વનું કામ કરે છે


 *શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે*

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel